સેવા, સમર્પણ અને સંકલ્પ - કમલેશ કુમાર સોની
સંઘર્ષથી સફળતા અને સેવાની સફર
મૂળ રાજસ્થાન રાણીવાડા ના નિવાસી
“મારો જન્મ ડીસા (જિલ્લા બનાસકાંઠા) ની પવિત્ર ધરતી પર થયો અને કર્મભૂમિ અમદાવાદનું બાપુનગર રહ્યું. બી.એ.(પોસ્ટ ગ્રેજ્યુએટ) સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, વ્યાપારની સાથે સાથે જનસેવાને મેં જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. ‘શ્રી અંબિકા જ્વેલર્સ’ના માધ્યમથી વ્યવસાયિક પ્રામાણિકતા અને ભાજપના એક સક્રિય કાર્યકર્તા તરીકેની મારી સફર આજે ૨૦ વર્ષના અનુભવ સાથે વધુ મજબૂત બની છે.”
નામ: કમલેશકુમાર જીવનલાલ સોની
અભ્યાસ: બી.એ. ગ્રેજ્યુએટ
વ્યવસાય: પ્રોપરાઈટર – શ્રી અંબિકા જ્વેલર્સ
વિચારધારા: અંત્યોદય (છેવાડાના માનવીનો વિકાસ)













સાંગઠનિક અનુભવ અને જવાબદારીઓ
રાજકીય જવાબદારીઓ અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા
ભારતીય જનતા પાર્ટીમાં સક્રિયતા: ૧૯૯૦ થી સતત કાર્યરત (૩૫+ વર્ષનો અનુભવ)
વર્તમાન હોદ્દો: મંત્રી – ૨૭ સરસપુર રખિયાલ વોર્ડ, ૪૯ બાપુનગર વિધાનસભા.
સંગઠન શક્તિ: * પેજ પ્રમુખ (પેજ નં. ૧૭, બુથ-૯૪, વોર્ડ-૨૭).
નમો એપમાં ૫૦,૫૨૦૪ પોઈન્ટ્સ સાથે સક્રિય કામગીરી.
બાપુનગર વિધાનસભામાં પ્રથમ ક્રમે રહીને ૨૭૪ મેમ્બર જોડવાની સિદ્ધિ.
સભ્યતા અભિયાન દરમિયાન ૪૦૦ થી વધુ નવા સભ્યો બનાવ્યા.
વિશેષ જવાબદારી: મેમ્બર – આર્થિક સેલ, કર્ણાવતી મહાનગર.
My Certificates
What I Offer For Good Health?
Nutrition Coaching
Maecenas ullam, Mollis suscipit sem adipisicing eros
Lose Weight
Maecenas ullam, Mollis suscipit sem adipisicing eros
Cooking Resources
Maecenas ullam, Mollis suscipit sem adipisicing eros
Sports Nutrition
Maecenas ullam, Mollis suscipit sem adipisicing eros
Balance Body Mind
Maecenas ullam, Mollis suscipit sem adipisicing eros
ઉપલબ્ધિઓ અને સામાજિક કાર્ય
ભાજપના એક પાયાના અને વફાદાર કાર્યકર્તા
2009 થી આજ સુધી, મેં પક્ષના આદેશોને શિરોમાન્ય રાખીને સંગઠનને મજબૂત કરવા માટે પાયાનું કામ કર્યું છે.
વર્તમાન જવાબદારી: મંત્રી – ૨૭ સરસપુર રખિયાલ વોર્ડ.
સંગઠન ક્ષમતા: * નમો એપ (Namo App) માં ૫,૦૫,૨૦૪ થી વધુ પોઈન્ટ્સ સાથે સક્રિય ડિજિટલ યોગદાન.
સદસ્યતા અભિયાનમાં બાપુનગર વિધાનસભામાં પ્રથમ ક્રમે રહી ૨૭૪ સભ્યો જોડવાની સિદ્ધિ.
પેજ પ્રમુખ તરીકે પાયાના મતદારો સાથે સીધો સંવાદ.
કર્ણાવતી મહાનગર આર્થિક સેલના સભ્ય તરીકે દરેક કાર્યક્રમ માં સક્રિય પણે ભાગીદારી
સમાજ ગૌરવ અને રાષ્ટ્રીય સંગઠન સાથે જોડાણ
વ્યાપાર અને રાજકારણની સાથે સાથે સમાજસેવા મારા લોહીમાં છે. રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએ વિવિધ હોદ્દાઓ સંભાળીને મેં સમાજ ઉત્થાનના કાર્યો કર્યા છે:
રાષ્ટ્રીય સંયુક્ત મંત્રી: રાષ્ટ્રીય સ્તરે સંગઠિત શક્તિનું પ્રતિનિધિત્વ.
પ્રદેશ મહામંત્રી (ગુજરાત): રાષ્ટ્રીય પ્રવાસી મહાસંઘ દ્વારા પ્રવાસી ભાઈઓની સેવા.
યુવા સંગઠન: ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી ‘શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર યુવા સંગઠન’ ના પ્રમુખ તરીકે યુવાનોને માર્ગદર્શન.
ટ્રસ્ટી: શ્રી બ્રાહ્મણ સોની સમાજ (ભીનમાલ ક્ષેત્ર) માં સેવાકીય પ્રદાન.
૧૩ વર્ષનો અવિરત સેવા યજ્ઞ
જનતાની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. છેલ્લા ૧૩ વર્ષથી સમાજ માટે વિવિધ ક્ષેત્રે મારા દ્વારા થયેલા કાર્યો:
શિક્ષણ: તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ.
જનતા ની સેવા
આરોગ્ય: નિયમિત રક્તદાન કેમ્પ અને મેડિકલ ચેક-અપ કેમ્પનું આયોજન.
પર્યાવરણ અને સંસ્કૃતિ: વૃક્ષારોપણ, તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રભક્તિનો પ્રસાર અને વડીલો માટે તીર્થયાત્રાનું નિઃશુલ્ક આયોજન.
સંકટ સમયે અડીખમ સેવક
જ્યારે આખું વિશ્વ થંભી ગયું હતું, ત્યારે અમે મેદાનમાં રહીને લોકોની રક્ષા કરી:
પરપ્રાંતીય શ્રમિકો માટે ભોજન અને વતન જવાની સુવિધા માટે કાર્ય માં સક્રિય ભૂમિકા હજારો પરિવારોને રાશન કીટ, માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ. લોકડાઉન બાદ સમાજમાં દાખલો બેસાડવા ‘આદર્શ વિવાહ’ (સાદાઈથી લગ્ન) નું સફળ આયોજન, જેની નોંધ દિવ્ય ભાસ્કર જેવા મીડિયા માધ્યમોએ પણ લીધી.
મારો સંકલ્પ - મોડેલ વોર્ડ સરસપુર-રખિયાલ
"મારું વિઝન સ્પષ્ટ છે - છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચે, વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ઉત્તમ બને અને વેપારીઓ તથા સામાન્ય જનતા સુરક્ષિત અનુભવે. પક્ષ મને તક આપશે તો હું મારા વિસ્તારને અમદાવાદનો સૌથી આધુનિક અને સુવિધાજનક વોર્ડ બનાવવા કટિબદ્ધ છું."
"છેલ્લા ૩૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે મેં સંગઠનને મજબૂત કરવાના અથાક પ્રયત્નો કર્યા છે. વેપારી વર્ગ હોય કે સામાન્ય જનતા, દરેકના પ્રશ્નોને વાચા આપવી એ મારો ધર્મ રહ્યો છે. આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સરસપુર-રખિયાલ વોર્ડ-૨૭ માંથી પક્ષ મને તક આપશે, તો હું મારા વિસ્તારને એક 'મોડેલ વોર્ડ' બનાવવા માટે અને લોકોની સેવા કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું."
ભારતમાં રાજકારણીની યાત્રા એ એક સંઘર્ષ છે, સિસ્ટમ, સામાજિક નિષેધ સામેનો દૈનિક સંઘર્ષ અને વિશ્વમાં તમે જે પરિવર્તન ઇચ્છો છો તે લાવવા માટે અંતરાત્માનો સતત આહ્વાન!
સંપર્ક
- +91 9925343727
- +91 9408216777
- kamleshjsonibjp@gmail.com
- 92 તપોવન સોસાયટી , અનિલ સ્ટાર્ચ મીલ રોડ, સરસપુર અમદાવાદ.















